Mahatma Gandhi Biography and Exam related Points and important Fact

મિત્રો આપ ઘણી બધી પરીક્ષાઓમાં જોતા હોય છે કે ગાંધીજી વિશે ના એક બે પ્રશ્નો હોયજ છે.

ગાંધીજી વિશે ની એવી બધીજ માહિતી જે આપને બધીજ પરીક્ષામાં ઉપયોગી બનશે

આ બધીજ માહિતી આપને માત્ર એકજ જગ્યા ઉપર મળી રહે એજ મારો હેતુ છે.

આપ ગાંધીજી વિશે e બધીજ માહિતી કે જે આપને પરીક્ષામાં એક બે માર્ક્સ અપાવશે.
તો આપને એક વિનંતી છે કે આપ આ પૂરો લેખ વાસો

🖍️રાઠોડ રોહિત

🇮🇳મોહનદાસ કરમચંદ ગાંધી 🇮🇳

♦️ઉપનામ

▪️મહાત્મા ગાંધી, ગાંધીજી, બાપુ, રાષ્ટ્રપિતા

♦️જન્મ

2- ઓક્ટોબર -1869  ;  પોરબંદર

♦️અવસાન

30 – જાન્યુઆરી,  1948   ;    દિલ્હી

♦️કુટુમ્બ

▪️માતા-  પૂતળીબાઈ ;   પિતા – કરમચંદ (કબા) ગાંધી

♦️પત્ની – કસ્તૂરબા (લગ્ન- 1881 )  ️ પુત્રો –  હરિલાલ, મણિલાલ, રામદાસ, દેવદાસ

♦️અભ્યાસ

1887 – મેટ્રીક – આલ્ફ્રેડ હાઈસ્કૂલ , રાજકોટ

♦️કોલેજ – શામળદાસ કોલેજ, ભાવનગર

♦️બૅરિસ્ટર (લંડન)

♦️વ્યવસાય

આફ્રીકામાં વકીલાત

પછી દેશસેવા અને સમાજોધ્ધારમાં જીવન સમર્પિત.


♦️પ્રદાન

▪️ભારતની આઝાદી અને અસહકારના  શસ્ત્રના સર્જક

▪️અનેક ઉચ્ચ કક્ષાના અને વિવિધ ક્ષેત્રમાં  શ્રેષ્ઠ કહી શકાય તેવા આંતરરાષ્ટ્રીય નેતાઓના પ્રેરણાસ્રોત

▪️પાયાની કેળવણી, અછુતોધ્ધાર, અછુતો માટે હરિજન શબ્દના શોધક

♦️જીવનભર સત્યશોધક

▪️જગતની સર્વશ્રેષ્ઠ કહી શકાય તેવી આત્મકથા અને અગણિત લેખો અને પત્રોના લેખક

▪️અહિંસા, બ્રહ્મચર્ય, અપરિગ્રહ અને નિસર્ગોપચારના આજીવન પુજારી

♦️જીવન ઝરમર

▪️પિતા પોરબંદર રાજ્યના દીવાન; પછી રાજકોટના દીવાન

▪️દાસી રંભાનો ધાર્મિક પ્રભાવ

▪️1888 – ઈંગ્લેંડ ભણવા ગયા, બેરિસ્ટર થયા.

♦️દક્ષિણ આફ્રિકામાં વકીલાતની શરૂઆત

▪️ટ્રેનમાંથી ફેંકાઇ ગયા બાદ જીવનમાં પરિવર્તન, જાહેર જીવન માં ઝંપલાવ્યું,

▪️રંગદ્વેષ તથા બિન-ગોરાઓને થતા અન્યાયોનો વિરોધ, અસહકારના શસ્ત્રની શોધ

♦️ફીનીક્ષમાં “ટોલ્સ્ટોય ફાર્મ”  આશ્રમ સ્થાપ્યો

♦️1915- ભારત આવી લોકમાન્ય ટિળક પાસે દેશસેવાનું વ્રત અને દેશભ્રમણ,

▪️અમદાવાદમાં પ્રથમ કોચરબ તથા પાછળથી સાબરમતીમાં હરિજન આશ્રમની સ્થાપના

▪️ગૂજરાત વિદ્યાપીઠ ની સ્થાપના, દેશસેવા તથા આઝાદીની લડતમાં ઝંપલાવ્યું

🔹1920 –  અસહકારનું આંદોલન

🔹1930 –  ઐતિહાસિક દાંડીકૂચ

🔹1942  –  “હિંદ છોડો” ચળવળ

🔸1948 –  30 જાન્યુઆરીએ બિરલા હાઉસ, દિલ્હી માં નથ્થુરામ ગોડસેથી ગોળીબાર દ્વારા હત્યા, દિલ્હીમાં અભૂતપૂર્વ કહી શકાય તેવી લાખોની જનમેદની વાળી સ્મશાનયાત્રા


♦️મુખ્ય રચનાઓ♦️

☑️આત્મકથા – સત્યના પ્રયોગો

☑️પ્રકાશન – હરિજન, યન્ગ ઇન્ડીઆ , નવજીવન વિ. ;

☑️નિબંધો –  હિંદ સ્વરાજ, દક્ષિણ આફ્રિકાની લડતનો ઈતિહાસ, અનાસક્તિયોગ વિ.

☑️પત્રલેખન – ગાંધીજીના પત્રો

☑️સમગ્ર સાહિત્ય – ગાંધીજીનો અક્ષરદેહ (90 થી વધુ ગ્રંથો)

♦️સન્માન♦️

▪️દિલ્હીમાં ‘રાજઘાટ’ નામે સમાધિ, જ્યાં વિશ્વના અસંખ્ય નેતાઓએ ફૂલહાર દ્વારા અંજલી અર્પણ કરી છે.

▪️તેમની છબી વાળી રૂપીયાની ચલણી નોટો, સીક્કા, ટપાલ ટિકીટો છપાયાં છે.

▪️તેમના જીવન ઉપર પ્રખ્યાત ફિલ્મ ‘ગાંધી’ બની છે.

▪️તાજેતરમાં તેમના જીવનને કેન્દ્ર સ્થાને રાખી બનેલી ફિલ્મ ‘ગાંધીગીરી’ એ મોટી હલચલ મચાવી દીધી હતી.

▪️તેમનો અવસાન દિન ‘શહીદ દિન’ ગણાય છે અને સમગ્ર દેશમાં સવારે 11-00 વાગે  બે મિનીટ મૌન પાળવામાં આવે છે.

રાઠોડ રોહિત


🖊 મહાત્મા ગાંધીજી વિષે કેટલીક મહત્વની માહિતી
🖍️Rohit

✔️ ગાંધીજીએ મહમદ અલી ઝીણા ને બિરૂદ આપ્યું
✅ કાયદે આઝમ

✔️ ગાંધીજીએ વકીલાત છોડી
✅1910થી

✔️9 જાન્યુઆરી 2015 પ્રવાસી ભારતીય દિવસ ઉજવાયો
✅ મહાત્મા મંદિર ગાંધીનગરમાં

✔️ ગાંધીજીની હત્યા થઈ
✅ બિરલા ભવન દિલ્હી

✔️ મહાદેવ ભાઈ દેસાઈનું મૃત્યુ 15 ઑગસ્ટ 1942
✅ આગાખાન મહેલ (પુણે)


✔️ કસ્તુરબા ગાંધી નું મૃત્યુ
✅આગાખાન મહેલ

✔️ કસ્તુરબાને અક્ષર જ્ઞાન આપનાર
✅ વેડછીના દશરી બેન ચોધરી

✔️ કસ્તુરબાને જેલમાં  અક્ષરજ્ઞાન આપનાર
✅ પૂર્ણિમા બહેન પકવાસા

✔️ ગાંધીજીને વિરમગામ જકતબારી ની વાત કરનાર
✅ મોતીલાલ દરજી

✔️ ગાંધીજીને ચંપારણ ની વાત કરનાર
✅ રાજકુમાર શુક્લ


✔️ ગાંધીજીએ યુરોપિયન પહરવેશ પહેરવાનું બંધ કર્યું
✅1912


✔️ ગાંધીજીએ દૂધનો ત્યાગ 
✅1912

✔️ગાંધીજીએ તાજા ફળ અને સૂકા ફળનો ત્યાગ
✅1912


✔️ ગાંધીજીના બહેનનું નામ
✅ રાલિયાત બહેન


✔️ ગાંધીજીના દાદાનું નામ
✅ ઉત્તમચંદ ઉર્ફે ઓતા ગાંધી


✔️ ગાંધીજીની હત્યાની FRI નોધવાઈ
✅ દિલ્હીના તુઘલક રોડ પોલીસ મથકે

✔️ ગાંધીજીના નિધન સમયના લોહીવાળી ધોતી ચશ્મા સચવાય
✅ મદુરાઇ સંગ્રહાલય


✔️ ભારતમાં સૌથી વધુ ગાંધી ઘર જોવા મળે છે
✅ કર્ણાટક

🏹ગાંધીજી સ્પેશિયલ


Rathod Rohit

આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ૧૫૦ મી   
જન્મજયંતી

✍આવો થોડું જાણીએ એમના વિશે ✍

જન્મ -  2 ઓક્ટોબર 1869

મૃત્યુ  -  30 જાન્યુઆરી 1948

 79 વર્ષ જીવ્યા

 17 મોટા આંદોલન કર્યા

  1921 માં તેમણે આઝાદી ન મળે ત્યાં
   સુધી દર સોમવારે ઉપવાસ કરવાનો
   નિર્ણય લીધો

13 વાર તેમની ધરપકડ કરાઈ હતી

67 મહિના  તેઓ જેલ માં રહ્યા હતા

24 વર્ષ તેઓ વિદેશ માં રહ્યા હતા

મૂળ નામ  👉 મોહનદાસ

પિતાનું નામ 👉 કરમચંદ

માતા નું નામ 👉 પૂતળીબાઈ

તેમના બે ભાઈઓ  👉 લક્ષ્મીદાસ
                          👉 કૃષ્ણદાસ

તેમના બે ભાભી    👉 નંદકુંવર
                          👉 ગંગા

તેમની બહેન         👉 રળિયાત બહેન

તેમના દાદા       👉  ઉત્તમચંદ

હાલમાં ગાંધીજી નો પરિવાર 6 દેશો માં

 રહે છે  ને તેમના 154 વંશજો છે

પહેલી વાર 1969 માં નોટ પર 

      ગાંધીજી દેખાયા

✍ 1996 થી નોટો પર ગાંધીજી ની

     સીરીઝ  શરૂ કરવામાં આવી

✍ ગાંધીજી વિશ્વ માં એકમાત્ર એવા

      વ્યક્તિ જેમના પર 150 દેશો એ

      ટપાલ ટિકિટ બહાર પાડેલ છે

✍ ભારત માં ગાંધીજી પર 48 પ્રકાર ની
      ટપાલ ટિકિટ બહાર પડાય છે

ચંપારણ સત્યાગ્રહ દરમિયાન

     રાજકુમાર શુક્લે તેમને સૌ પ્રથમ બાપુ 
   
    કહ્યા હતા

તેમને સૌ પ્રથમ મહાત્મા કહેનાર  

      રવિન્દ્રનાથ  ટાગોર 

✍ તેમને સૌ પ્રથમ રાષ્ટ્રપિતા કહેનાર

      સુભાષચંદ્ર બોઝ

✍ દેશ માં 640 જિલ્લા ના રસ્તાઓ ને

      ગાંધીજી નું નામ આપાયેલ છે

✍ ગાંધીજી ની સૌથી મોટી પ્રતિમા પટના

     માં  આવેલ છે  -72 ફૂટ ની

✍ ગાંધીજી ના  4 પુત્ર

   હરિલાલ

  મણિલાલ

  રામદાસ

  દેવદાસ

દત્તક લીધેલ પુત્ર  👉 જમનાદાસ બજાજ

✍ મહાદેવ ભાઈ દેસાઈ એ તેમના

   સેવાગ્રામ  આશ્રમ ને ' ગાંધીજી નું

    અજાયબ ઘર ' કહ્યું હતું


રાઠોડ રોહિત

🎴 કીર્તિમંદિર 👉સ્મારક મંદિર

♦પોરબંદરમાં મહાત્મા ગાંધીજીનું આ સ્મારક મંદિર છે.

પોરબંદરમાં ગાંધીજી ૨ ઓક્ટોબર, ૧૮૬૯ના રોજ જે ઘરમાં જન્મ્યા હતા તે પુરાણા ઘરની આજુબાજુ જ આ કીર્તિમંદિર બનાવાયું છે.

આ મંદિર બાંધવામાં પોરબંદરના મહારાજા શ્રીનટવરસિંહજી અને રાજરત્ન શ્રીનાનજી કાલિદાસ મહેતાનો મોટો ફાળો છે. 

♦પુરુષોત્તમ મિસ્ત્રીએ બાંધકામ કર્યુ છે. કીર્તિ મંદિર ૧૯૫૦માં બનીને તૈયાર થયું, અને સરદાર વલ્લભભાઈ પટેલે તે પ્રજા માટે ખુલ્લું મૂક્યું.

♦મંદિરની ઉંચાઇ ૭૯ ફૂટ છે, જે ગાંધીજીની ૭૯ વર્ષની ઉમરનો નિર્દેશ કરે છે.

♦ગાંધીજીને બધા ધર્મો પ્રત્યે આદર હતો, કીર્તિ મંદિરના સ્થાપત્યમાં એવા છ ધર્મો – હિંદુ, બૌદ્ધ, જૈન, પારસી, ચર્ચ અને મસ્જીદનું મિશ્રણ દેખાય છે.

♦મંદિરની મધ્યમાં ગાંધીજી અને કસ્તૂરબાનાં ફૂલ સાઈઝનાં પેઈન્ટીંગ જોડે જોડે મૂકેલાં છે.

તેમના પગ આગળ તેમના જીવનનાં સૂત્રો ‘સત્ય’ અને ‘અહિંસા’ લખેલાં છે. 

♦જમણી બાજુના બે રૂમોમાં અનુક્રમે મગનલાલ ગાંધી અને મહાદેવ દેસાઈનાં સ્મારકો છે.

♦ડાબી બાજુના રૂમમાં પ્રદર્શન છે, ગાંધીજીના જૂના ફોટા છે.

♦આ બધી રૂમોમાં ખાદી અને હસ્તકલાની વસ્તુઓ મૂકેલી છે. મંદિરમાં પુસ્તકોનું વેચાણ કેન્દ્ર અને કસ્તૂરબા મહિલા લાયબ્રેરી પણ છે.

♦મંદિરમાં ગાંધીજી જે જગાએ જન્મેલા તે જગાએ સ્વસ્તિકનું ચિહ્ન દોરેલું છે.

♦મંદિરમાં સાંજે ૫ વાગે ગાંધીજીનું પ્રિય ભજન ‘વૈષ્ણવજન તો તેને રે કહીએ…’ ગવાય છે.

♦મુલાકાતીઓને અહીં ગાંધીયુગમાં પહોંચી ગયાનો અનુભવ થાય છે.

♦કીર્તિ મંદિર એ અગત્યનું ટુરિસ્ટ આકર્ષણ છે.



Rathod Rohit


♦રાષ્ટ્રપિતા : મહાત્મા ગાંધીજી♦

➖Rohit➖

👇🏻▪📖મહાત્મા ગાંધીજીની આત્મકથા "સત્યના પ્રયોગો" માંથી📖▪👇🏻

▪ગાંધીજીએ કુંગી લોકોની મુલાકાત કયા દેશમાં કરી હતી❓
*✔બ્રહ્મદેશ*

▪મુંબઈમાં ગાંધીજીએ કેટલા રૂપિયાની પોલિસી કરાવી હતી❓
*✔10,000/-*

▪ગાંધીજીએ ગીતાના કેટલા અધ્યાય મોઢે કરી લીધા હતા❓
*✔13*

▪ગાંધીજીએ માટીના ઉપચારનું "રિટર્ન ટુ નેચર" (કુદરત તરફ પાછા વળો) નામનું પુસ્તક વાંચ્યું હતું તેના લેખક❓
*✔જુસ્ટ*

▪ગાંધીજીએ એમની કઈ બીમારી માટીના ઉપચારથી નાબૂદ કરી હતી❓
*✔કબજિયાત*

▪ગાંધીજીએ સિપાહી ભરતીનું કામ ગુજરાતના કયા જિલ્લામાં કર્યું હતું❓
*✔ખેડા*

▪ગાંધીજીએ "આરોગ્યની ચાવી" પુસ્તક ક્યારે લખ્યું હતું❓
*✔1942માં*

▪દક્ષિણ આફ્રિકામાં બોઅર-બ્રિટિશ યુદ્ધ વખતે ગાંધીજીએ કયા અંગ્રેજને આશરો આપ્યો હતો❓
*✔કિચન(એ સિવાય બીજા બે વ્યક્તિ હતા)*

▪દક્ષિણ આફ્રિકામાં ટાઈપરાઇટિંગ માટે કઈ મહિલાને રાખ્યા હતા❓
*✔મિસડિક કુમારી ( આ કન્યાનું ગાંધીજીએ લગ્નમાં કન્યાદાન કર્યું હતું)*
*✔મિસડિક પછી મિસ શ્લેશિન નામની બીજી કન્યાને ટાઈપરાઇટિંગ માટે રાખી હતી*

▪"ઇન્ડિયન ઓપિનિયન" છાપું કાઢવાનો વિચાર ગાંધીજીને કોણે આપ્યો હતો❓
*✔શ્રી મદનજીત (ઉત્પત્તિ 1904માં થઈ)*

▪ગાંધીજીને રસ્કિનનું 'અન ટુ ધી લાસ્ટ' પુસ્તક વાંચવા કોણે આપ્યું હતું❓
*✔પોલોક (પોલોક યહુદી હતો)*

▪દક્ષિણ આફ્રિકામાં 'ઇન્ડિયન ઓપિનિયન'માં ગાંધીજીના કયા ભત્રીજા પ્રેસમાં કામ કરતા હતા❓
*✔છગનલાલ ગાંધી*

▪ગાંધીજીએ ફિનિક્સ આશ્રમ બનાવવા જમીન માટે કેટલા પાઉન્ડ આપ્યા હતા❓
*✔1000*

▪ગાંધીજીના કયા પુત્રનો હાથ ભારતથી દક્ષિણ આફ્રિકા જતા ભાગી ગયો હતો❓
*✔રામદાસ*

▪ગાંધીજીના સૌથી મોટા પુત્રનું નામ શું હતું❓
*✔હરિલાલ*

▪સત + આગ્રહ એમ મેળવીને 'સદાગ્રહ' શબ્દ ગાંધીજીને કોણે મોકલ્યો હતો❓
*✔મગનલાલ ગાંધી*

▪ગાંધીજીને દક્ષિણ આફ્રિકામાં પહેલો જેલનો અનુભવ ક્યારે થયો હતો❓
*✔1908માં*

▪ગાંધીજીએ દુધનો ત્યાગ ક્યાં અને ક્યારે કર્યો હતો❓
*✔1912માં ટોલ્સટોય ફાર્મમાં*

▪"ગાંધીજીનું ખાતું આપડા ચોપડામાં પાડજો ને તેમના આશ્રમને સારુ થાય તેમના જાહેર ખર્ચને સારું જ પૈસા જોઈએ તે તમે આપજો." આ વાક્ય દાક્તર દવેને કોણે કહ્યું હતું❓
*✔ગોખલે*

▪દક્ષિણ આફ્રિકાથી ભારત આવીને ગાંધીજીને કયો પહેરવેશ રાખવો હતો❓
*✔કાઠિયાવાડી*

▪ગાંધીજી મુંબઈથી વઢવાણ આવ્યા ત્યારે વઢવાણ સ્ટેશને ગાંધીજીને લેવા કોણ આવ્યું હતું❓
*✔દરજી મોતીલાલ*

▪ગાંધીજીની કાકાસાહેબ કાલેલકર સાથે પહેલી મુલાકાત ક્યાં થઈ હતી❓
*✔શાંતિનિકેતન*

▪વડોદરા રાજ્યમાં 'ગંગનાથ વિદ્યાલય' કોણ ચલાવતા હતા❓
*✔કેશવરાવ દેશપાંડે (કાકાસાહેબ કાલેલકર)*

▪હરિહર શર્મા કયા નામે ઓળખાતા હતા❓
*✔અણ્ણા*

▪"એક વર્ષ તમે હિન્દુસ્તાનમાં ફરી જશો એટલે તમારા વિચારો એની મેળે ઠેકાણે આવશે." આવું ગાંધીજીને કોણે કહ્યું હતું❓
*✔ગોખલે*

▪1915માં હરદ્વારમાં કુંભમેળામાં ગાંધીજી કોના દર્શને ગયા હતા❓
*✔મુનશીરામજી*

▪સત્યાગ્રહાશ્રમની સ્થાપના❓
*✔25 મે,1915*

▪ગાંધીજીને કોચરબમાં આશ્રમ સ્થાપવા કોની પાસેથી મકાન ભાડે લેવાનું હતું❓
*✔જીવણલાલ બારિસ્ટર*

▪કોચરબ આશ્રમની શરૂઆતમાં કેટલા તામિલ લોકો હતા❓
*✔13 (લગભગ 25 સ્ત્રી-પુરુષોથી આશ્રમનો આરંભ)*

▪આશ્રમમાં ગાંધીજીએ કયા અત્યંજ કુટુંબને સ્થાન આપ્યું હતું❓
*✔દૂદાભાઈ , દાનીબહેન અને તેમની પુત્રી લક્ષ્મી*

▪દૂદાભાઈ મુંબઈમાં શાનું કામ કરતા હતા❓
*✔શિક્ષકનું*

▪અત્યંજ કુટુંબને સ્થાન આપતા ગાંધીજીને કોણે નોટિસ આપી હતી કે 'આવતે મહિને આશ્રમ ખર્ચ ચલાવવાના પૈસા આપણી પાસે નથી."❓
*✔મગનલાલ ગાંધી*

▪દક્ષિણ આફ્રિકાના નાતાલના ગિરમિટિયા ઉપરથી ત્રણ પાઉન્ડનો વાર્ષિક દર ક્યારે નાબુદ થયો હતો❓
*✔1914માં*

▪1917ની સાલમાં ગાંધીજીને ચંપારણ કોણ લઈ ગયું હતું❓
*✔રાજકુમાર શુક્લ (ચંપારણના એક ખેડૂત હતા)*


Rathod Rohit


🖊 મહાત્મા ગાંધીજી વિષે કેટલાક મહત્વના પ્રશ્નો


✔️ ગાંધીજીએ મહમદ અલી ઝીણા ને બિરૂદ આપ્યું
✅ કાયદે આઝમ

✔️ ગાંધીજીએ વકીલાત છોડી
✅1910થી

✔️9 જાન્યુઆરી 2015 પ્રવાસી ભારતીય દિવસ ઉજવાયો
✅ મહાત્મા મંદિર ગાંધીનગરમાં

✔️ ગાંધીજીની હત્યા થઈ
✅ બિરલા ભવન દિલ્હી

✔️ મહાદેવ ભાઈ દેસાઈનું મૃત્યુ 15 ઑગસ્ટ 1942
✅ આગાખાન મહેલ (પુણે)


✔️ કસ્તુરબા ગાંધી નું મૃત્યુ
✅આગાખાન મહેલ

✔️ કસ્તુરબાને અક્ષર જ્ઞાન આપનાર
✅ વેડછીના દશરી બેન ચોધરી

✔️ કસ્તુરબાને જેલમાં  અક્ષરજ્ઞાન આપનાર
✅ પૂર્ણિમા બહેન પકવાસા

✔️ ગાંધીજીને વિરમગામ જકતબારી ની વાત કરનાર
✅ મોતીલાલ દરજી

✔️ ગાંધીજીને ચંપારણ ની વાત કરનાર
✅ રાજકુમાર શુક્લ


✔️ ગાંધીજીએ યુરોપિયન પહરવેશ પહેરવાનું બંધ કર્યું
✅1912


✔️ ગાંધીજીએ દૂધનો ત્યાગ
✅1912

✔️ગાંધીજીએ તાજા ફળ અને સૂકા ફળનો ત્યાગ
✅1912


✔️ ગાંધીજીના બહેનનું નામ
✅ રાલિયાત બહેન


✔️ ગાંધીજીના દાદાનું નામ
✅ ઉત્તમચંદ ઉર્ફે ઓતા ગાંધી


✔️ ગાંધીજીની હત્યાની FRI નોધવાઈ
✅ દિલ્હીના તુઘલક રોડ પોલીસ મથકે

✔️ ગાંધીજીના નિધન સમયના લોહીવાળી ધોતી ચશ્મા સચવાય
✅ મદુરાઇ સંગ્રહાલય


✔️ ભારતમાં સૌથી વધુ ગાંધી ઘર જોવા મળે છે
✅ કર્ણાટક

રાઠોડ રોહિત


💥ગાંધીજી એ દૂધ પીવાનું કઈ સાલ માં બંધ કર્યું ??👉👉1912

💥ગાંધીજી ના સંસ્કૃત શિક્ષક નું નામ જણાવો ??-- કૃષ્ણકાંત માસ્ટર

ગાંધીજી ને 5 માં ધોરણ અને 6 ધોરણ માં કેટલા રૂપિયા ની શિષ્યવૃત્તિ મડી હતી ?

👉👉 ધોરણ 5 માં -- 4 રૂપિયા
👉👉ધોરણ 6 માં --- 10 રૂપિયા

🎯ગાંધીજી ના પપ્પા( કરમચંદ ગાંધી ) ને શાની બીમારી હતી ??👉👉ભગનંદર

🎯ગાંધીજી ને વિલાયત જવાની સલાહ કોને આપી ??👉👉 માવજી દવે

🎯ફિનિક્સ આશ્રમ ની સ્થાપના ક્યારે થઈ ??👉👉1904



👍આશા રાખું છું આવનાર પરીક્ષા મા આપને આં માહિતી ઉપયોગી નીવડશે👍
Rathod Rohit
🎯💥🎯👉👇🌈👇🎯👇🎯
મહાત્મા ગાંધી / મોહનદાસ ક. ગાંધી / ગાંધીજી

‘ મારૂ જીવન એજ મારો સંદેશ.’
( My life is my message )

હું દુનિયાને બીજું કસૂજ શીખવવા નથી માંગતો,
સત્ય અને અહિંસા અનાદીકાળ થી ચાલી આવે છે.

મહાત્મા ગાંધીજી નો જન્મ 2 જી ઓક્ટોબર 1869 ના રોજ પોરબંદર મુકામે થયો. સાબરમતી કે સંત તુંને કરદિયા કમાલ. “દેદી હમે આજાદી બીના ખડક બીના ઢાલ, સાબરમતી કે સંત તુને કરદિયા કમાલ.. “

🎯💥👉અહિંસક સવિનય કાનૂનભંગનો જે ખ્યાલ તેમણે લિયો ટોલ્સટોય અને હેન્રી ડેવિડ થોરો પાસેથી મેળવ્યો હતો, તેના ઉપયોગ દ્વારા તેમણે બ્રિટીશ રાજ્યની હાકલ પટ્ટી કરી ભારત ને સ્વતંત્ર બનાવ્યું. આમાથી પ્રેરણા લઈને વિશ્વમાં બીજા ઘણા બધા દેશોએ સ્વતંત્ર માટે અંગ્રેજો સામે લડત કરી.

🎯💥👉ગાંધીના સત્યાગ્રહનો આદર્શ માર્ટીન લ્યૂથર કિંગ જુનિયર જેવા લોકશાહીના પ્રખર હિમાયતી અનેક આંદોલનકારીઓ માટે નવો રસ્તો ઊભો કર્યો.

🎯💥👉માર્ટીન ઘણી વખત કહેતા કે ગાંધીજીના આદર્શો સરળ હતા પારંપરિક રીતે હિન્દુ સંસ્કૃતિ સાથે સંકળાયેલી સત્ય અને અહિંસા જેવી માન્યતા માથી તારવેલા હતા. આવા આપણા લોક લોક લાડીલા બાપુના જીવનની થોડી વાતો અહિયાં લખું છુ.

🎯💥👉૨ ઓક્ટોબર ના રોજ ગાંધીજી ના જન્મ દિન નિમિતે’ વિશ્વ અહિંસ દિવસ’ દિવસ સયુક્ત રાસ્ટ્રએ જાહેર કરેલ છે.

🎯💥👉મહાત્મા ગાંધીજી ને ૧૯૪૮ માં નોબલ પુરસ્કાર આપવા માટે પસંદ કરવામાં આવ્યા હતા. પરંતુ આ પહેલા તેમનું મૃત્યુ થયું.

💥🎯મહાત્મા ગાંધીજીને ‘ રાસ્ટ્રપિતા ‘ ના પદવી સુભાષચંદ્ર બોજે આપી હતી.

🎯💥મહાત્મા ગાંધીજી સમયના પ્રખર પાલક હતા. પોતાની પાસે કાયમિક એક ઘડિયાળ રાખતા. તેઓ તેમના મૃત્યુ સમયેજ પ્રાર્થનામાં ૧૦ મિનિટ મોડા હતા.

💥🎯મહાત્મા ગાંધીજી એ ૧૯૩૧ માં પહેલી વાર રેડિયામાં પોતાનું પ્રવશન આપ્યું. જે અમેરીકા માટે હતું.

🎯💥મહાત્મા ગાંધીજી ઇંગલેન્ડ અભ્યાસ કરતાં ત્યારે નિયમિત ૮ થી૧૦ કિલોમીટર ચાલતા, તેમજ દાંડી યાત્રા માં પણ ચાલ્યા હતા.

🎯💥મહાત્મા ગાંધીજી ઉચવિચાર ના હતા. એક વખત તેમના ટ્રેનમુસાફરી દરમિયાન પોતાનું એક નીચે પડી ગયું ત્યારે તેને ત્યારેજ બીજું ચંપલ નીચે ફેકીદીધુ કારણ કે જો બંને સાથે હસે તો કોઈક આ ચંપલ પહેરી શકસે.

🎯💥👉મહાત્મા ગાંધીજી બધા ધર્મને સમાન માનતા જેમકે હાઇસ્કૂલમાં તેમના મિત્ર મુસલમાન હતા. તેમના હેડ માસ્ટર પારસી હતા. શાળા નું બિલ્ડીંગ નવાબ નું હતું. આમ અનેક ધર્મ ની વચે તેમનું જીવન ઘડતર થયું છે.

🎯💥👉મહાત્મા ગાંધીજી ભણવામાં નબળા હતા. તેઓને અભ્યાસ માં ૪૦ થી ૫૦ ટકા આવતા. તેઓ ભણવામાં નબળા હોવાથી સ્કૂલેથી ભાગી જતાં. તેમણે ઘણી સ્કૂલો બદલી હતી.

🎯💥👉મહાત્મા ગાંધીજી નાનપણમાં ખુબજ શરમાળ હતા. સત્યના પ્રયોગો માં લખ્યું છેકે મારા લગ્ન થયા ત્યારે મને કસૂજ ખબર પડતી ના હતી.

🎯👉આવા આપણાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી ના જીવન વિષે થોડી યાદ…

💥👉૧૮૭૬ /૧૮૭૭ માં ગાંધીજી પોતાના પિતા સાથે રાજકોટ આવ્યા ત્યારે હાલની પ્રતાપકુવરબા પ્રાથમિક શાળા નં ૫ , અને હાલની કિશોર્સિહજી પ્રાથમિક શાળા નં ૧ માં પ્રાથમિક શિક્ષણ લીધું.

💥🎯👉૧૮૮૦ ની પહેલી ડિસેમ્બર ના રોજ રાજકોટ ની આલફેડ હાઇસ્કૂલમાં પ્રવેશ પરિક્ષા આપી ધોરણ ૧ અંગ્રેજી માધ્યમમાં પ્રવેશ લીધો.

💥🎯👉૧૮૮૨ માં ગાંધીજી ના લગ્ન ૧૪ વર્ષ ના કસ્તુરબાઇ સાથે થયા. ત્યારે ગાંધીજીની ઉમર ૧૩ વર્ષની હતી. કસ્તૂરબા એક વેપારી માખનજી કાપડિયાની પુત્રી હતા.

🎯👉💥૧૮૮૫ માં ગાંધીજી ના પિતાનું અવશાન થયું.

💥🎯👉૧૮૮૮ માં હરિલાલ ,૧૮૯૨ માં મણિલાલ, ૧૮૯૭ માં રામદાસ, ૧૯૦૦ માં દેવદાસ, આમ ચાર સંતાન ના જન્મ થયા.

💥🎯👉૧૮૮૭ માં ભાવનગર ની શામળદાસ કોલેજ માં અભ્યાસ માટે દાખલ થયા. એક સત્ર પછી કોલેજ છોડી દીધી.

💥🎯👉૧૮૮૮ માં ઇંગ્લેન્ડ માં અભ્યાસ કરવા ગયા. ત્યારે તેમણે ત્યાં હરિલાલ નો જન્મ થયો હતો.

💥🎯👉૧૮૯૧ માં અભ્યાસ પુર્ણા કરી ઘરે પરત ફર્યા. ત્યારે બોમ્બે અને રાજકોટ ની માતા મૃત્યુ પામ્યા.

💥🎯👉૧૮૯૩ માં દક્ષીણ આફ્રીકા ગયા, ત્યાં ગોરા કાળા રંગભેદ નો સામનો કરવો પડિયો.

💥🎯👉૧૮૯૪ માં નાતાલ ઇંડિયન કોંગ્રેસ ની સ્થાપના કરી. તેમજ રંગભેદનું આંદોલન આગળ વધાર્યું.

💥🎯👉૧૮૯૬ માં ૬ મહિના માટે ઘરે પરત આવ્યા, અને નાતાલ ઇંડિયન કોંગ્રેસ માં તેના બે પુત્રો અને પત્નીને તેમાં સામેલ કર્યા.

💥👉૧૮૯૯ માં આફ્રિકામાં બ્રિટિસ આર્મી માટે ભારતીય એમ્બ્યુલન્સ સેવા સરું કરી.

💥🎯👉૧૯૦૧ માં તેઓએ ભારત ની મુલાકાત લીધી અને કલકતા કોંગ્રેસ સત્ર માં ભાગ લીધો અને બોમ્બે માં હિમાયત નું કાર્યાલય ખોલ્યું.

💥👉૧૯૦૨ માં તેઓ પાસાં આફ્રીકા ગયા.

🎯💥👉૧૯૦૬ માં’ જુલૂ રિવોલ્ટ’ દરમિયાન ભારતીય એમ્બ્યુલન્સ સેવા તૈયાર કરવામાં આવી, આજીવન બ્રમચર્ય નો ઉપવશ અને એસિયાટીક વટહુકમ સામે પ્રથમ સત્યગ્રહ અભિયાન સારું કર્યું.

🌈💥👉૧૯૦૭ માં ‘બ્લેક એકટ’ભારતીયો અને અન્ય એશીયનો ના બાળ ના રજીસ્ટેશન વિરુદ્ધ સત્યાગ્રહ.

🎯👉💥૧૯૧૦ માં જોહાનિસબર્ગ નજીક ટોલ્સટોય ફાર્મ ની સ્થાપના કરી.

💥🎯૧૯૧૫ માં ૨૧ વરસ ના સ્થળાંતર પછી ઘરે પાછા આવો મેમાં સત્યાગ્રહ આશ્રમ કોચરબમાં સ્થાપ્યો જે સાબરમતી નજીક ૧૯૧૭ માં સ્થપાયું હતું.

💥🎯👉૧૯૧૬ માં બનારસ ની હિન્દુ યુનિવર્સ સિટી માં ગાંધીજિ એ ભાષણ આપ્યું.

🎯💥👉૧૯૧૮ માં અમદાવાદ ના મિલ કર્મચારી આંદોલન અને સત્યગ્રહમાં મધ્યસ્થી બન્યા અને તેની સમસ્યા નો ઉકેલ કર્યો.

💥🎯👉૧૯૧૯ માં માં બ્રિટીશ સરકારે રોલેટ બીલ પસાર કર્યું કે સરકારનો કોઇપણ જાતનો વિરોધ કરનારને સીધી જ કેદ કરી શકે. આ બીલના વિરોધમાં ગાંધીને એવું પગલું ભરવા મજબુર કર્યા કે જેથી અંગ્રજો સાથે તેમના સંબંધ પર પૂર્ણવિરામ મુકાઇ ગયું.
💥🎯👉આખા દેશમાં ચોતરફ હિંસા ફાટી નીકળી તેવામાં જ અમૃતસરમાં બ્રિટીશ લશ્કરે લગભગ ૪૦૦ જેટલા સત્યાગ્રહીઓને રહેંસી નાખ્યા અને માર્શલ લૉ લગાવી દીધો. આમ બંને પક્ષની હિંસાના કારણે ગાંધીએ આ લડત આટોપી લેવાની જાહેરાત કરી દીધી.

🎯💥👉૧૯૨૧ માં ગાંધીને અખિલ ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના દ્વારા કૉંગ્રેસ વતી તમામ નિર્ણયો લેવા ની સતા આપવામાં આવી. ગાંધીના નેતૃત્વમાં સ્વરાજના ધ્યેય સાથે કૉંગ્રેસના બંધારણને નવેસર થી બનાવ્યું.

🎯👉💥૧૯૨૨માં ઊત્તર પ્રદેશમાં થોડા સ્વાતંત્ર્ય સેનાનીઓ એક દિવસ બેકાબુ બનતા સ્વતંત્ર સંગ્રામ હિંસાના માર્ગે વળી ગયો. ગાંધીજીની તમામ મહેનત પર જાણે પાણી ફરી વળ્યું.
💥🎯😊ગાંધી પર સરકારે દ્રોહનો ખટલો ચલાવ્યો અને તેમને છ વર્ષની કેદની સજા થઇ. ગાંધી ના જીવનની આ મોટામાં મોટી જેલ યાત્રા હતી.

💥👉🎯૧૯૨૪માં ગાંધીને એપેન્ડિક્સનું ઑપરેશન કરાવ્યા બાદ જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા.

🎯💥👉🎯૧૯૨૪માં છેલ્લા ઊપાય તરીકે ત્રણ અઠવાડિયાનાં ઊપવાસ દ્વારા લોકોના હૈયા પર લાગણીનો પ્રહાર કર્યા અને લોકો ના દિલ માં બે કોમ વચે રહેલો ભેદ દૂર થયો ને નવો સેતુ બંધણો. તેમજ સાંપ્રદાયિક એકતા માટે ૨૧ દિવસ ની ઉજવણી કરી. અને બેલ ગામમાં કોંગ્રેસ સત્ર ના પ્રમુખ ચુટાણા.

🎯💥👉૧૯૨૭, માં સરદાર વલ્લભભાઇ પટેલ ની આગેવાની હેઠળ બારડોલી સત્યાગ્રહ માં જોડાયા.

💥🎯👉૧૯૨૮માં કલકત્તા (હાલનું કોલકાતા)માં કૉંગ્રેસ દ્વારા ઠરાવ પસાર કર્યો જેમાં ભારતને રાજકીય મોભો અને ભારતીયોને તમામ બંધારણીય હક આપવાની અથવા અહિંસક આંદોલન માટે તૈયાર રહેવાની અને આંદોલન ચાલુ થશે તો તેઓ સંપૂર્ણ સ્વતંત્રતાથી ઓછું ભારતને કાંઇ નહીં ખપે. તેવી સરકારને ચીમકી આપી.

💥🎯👉૧૯૩૦ માં દાંડી સત્યાગ્રહમાં પોતાના શબ્દો સાચા કરી બતાવ્યા અને અંગ્રેજ સરકારને ચેતવણી આપી તેમણે સરકારે મીઠા પર લગાવેલા કરના વિરોધમાં દાંડી કૂચની જાહેરાત કરી. આ કાર્યક્રમ મુજબ ૨૧ માર્ચે સાબરમતીથી કૂચ આરંભીને ૬ એપ્રિલ ૧૯૩૦ના રોજ ગાંધી દાંડી પહોચ્યા અને એક જગવિખ્યાત ઐતિહાસિક ઘટના બની ગઇ. ૪૦૦ કિ.મી. ના આ પ્રવાસમાં માનવ મહેરામણ બની ગયો ગાંધીએ આને સવિનય કાનુનભંગ નામ આપ્યું. દાંડી સત્યાગ્રહ ભારતીય ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાય ગયો. આ આંદોલનમાં ૬૦,૦૦૦ ભારતીયોને જેલમાં ધકેલી દેવામાં આવ્યા.

💥🎯👉૧૯૩૧મા ગાંધી-ઈરવીન કરાર કરવામાં આવ્યો. આ કરારમાં નક્કી કરવામાં આવ્યું કે તમામ બ્રિટીસરો તમામ રાજકીય કેદીને જેલમથી છોડી મૂકે.

🎯💥👉૧૯૩૨માં સપ્ટેમ્બર માસમાં પોતાના ઊપવાસના શસ્ત્ર દ્વારા સરકારને સૌને સમાન મતાધિકાર આપવા ફરજ પાડી.

💥🎯👉૧૯૩૩ના દિવસે ગાંધીએ અંગ્રેજો દ્વારા ભારતીયો પરના દમનના વિરોધમાં ૨૧ દિવસ ના ઉપવાસ પર ઉતાર્યા

💥🎯👉૧૯૩૪માં ગાંધીનો જાન લેવા ત્રણ હુમલાઓ પણ થયા, પણ આ બધું ગાંધીને જાણે નવો જુસ્સો પુરું પાડતું હોય તેમ ગાંધીનું આંદોલન વધુ ને વધુ જોર પકડતું ગયું. અહિંસા માટે કોંગ્રેસીઓના વિચારોથી ગાંધીને ખૂબ દુઃખ થયું અને તેમણે કોંગ્રેસને રામ રામ કરી દીધું.

💥🎯👉૧૯૩૯ માં રાજકોટમાં સત્યાગ્રહ અને ઉપવાસ આંદોલન કર્યું. રાજકોટ ઠાકોરે કસ્તૂરબા ની અટકાયત.

🎯💥👉૧૯૪૦ માં તેમણે વિનોબાભાવે ને વ્યક્તિગત સત્યાગ્રહ માટે પસંદ કર્યા. અને સત્યાગ્રહ ની જાહેરાત કરી.

💥👉૧૯૪૨ બ્રિટને તાત્કાલિક ભારત છોડવાનો ઠરાવ કારોબારી સમિતિએ પસાર કર્યો.બ્રિટનને કહયું ભારત છોડો લોકો ને મંત્ર આપ્યો ‘ કરેંગે યા મરેંગે’નું સૂત્ર આપ્યું. ગાંધીજી અને કારોબારી સમિતિના સભ્યોની ધરપકડ તથા આગાખાન મહેલમાં અટકાયત.કરીઅને હદયરોગના હુમલાથી મહાદેવ દેસાઈનું આગાખાન મહેલમાં અવસાન.

💥🎯👉૧૯૪૩ માં જાપાન તરફી અને હિંસક ઘટનાઓ માટે જવાબદાર ગણવાના આક્ષેપ વિરુદ્ધ ૨૧ દિવસના ગાંધીજી એ ઉપવાસ કર્યા.

🎯💥👉૧૯૪૪આગાખાન મહેલમાં કસ્તૂરબાનું અવસાન આગાખાન મહેલમાં વિના શરતે ગાંધી ને મુક્તી મળી.

💥🎯👉૧૯૪૬ માં કલકત્તામાં કોમી રમખાણો.નહેરુએ ૧૨ સભ્યોની વચગાળાની સરકાર રચી. નોઆખલી પ્રદેશમાં કોમી રમખાણો. મુસ્લિમ લીગના પ્રતિનિધિઓ વચગાળાની સરકારમાં જોડાયા. બિહારમાં કોમી રમખાણો.હારીજન ‘ સાપ્તાહિક’ ની જવાબદારી કાકા કાલેલકર અને કિશોરલાલ મશરૂવાળા અને નરહરિ પરીખને સોપી.

🎯💥👉૧૯૪૭ માં બિહારના હિંસાથી અસરગ્રસ્ત ગામોની મુલાકાત.દિલ્હી આવેલા લોર્ડ માઉન્ટબેટનને મળ્યા. વાઇસરોયની ભારતના ભાગલાની યોજના કોંગ્રેસ. મુસ્લિમ લીગ અને શીખોનાપ્રતિનિધિઓએ સ્વીકારી. વાઇસરોયની યોજનાનો સ્વીકાર કોંગ્રેસ કારોબારીએ કર્યો. ભારતનો પહેલો સ્વાતંત્ર્યદિન કલકત્તામાં ઉપવાસ અને પ્રાર્થના કરીને ઉજવ્યો.કલકત્તામાં શાંતિ જાળવાવાની ખાતરી મળતા ઉપવાસ છોડ્યા.ગાંધીજી દિલ્હી પહોંચ્યા.

🎯💥👉૧૯૪૮ પ્રાર્થનાસભામાં હિંદુ-મુસ્લિમ વચ્ચે શાંતિ ન સ્થપાય ત્યાં સુધી ઉપવાસનો નિર્ણય જાહેર કર્યો. શાંતિની જાહેરાત થતા ઉપવાસ છોડ્યા. અંતે પ્રર્થના સભમાં જતા હતા ત્યારે નથુરામ ગોડસેને ૩ ગોળી મારી હત્યા કરી. આ પહેલાં ૨૦ જાન્યુયારીએ બિરલા હાઉસમાં પ્રાર્થના બેઠક માં વિસ્ફોટ કર્યો હતો.

🎯💥👉🎯મહાત્મા ગાંધીજી ભારત ના સ્વતંત્રતા આંદોલનના મુખ્ય નેતા હતા, અને તેમણે અહિંસા આંદોલાંથી આખા વિશ્વને પ્રેરણા આપી. ગાંધીજી એ કાયદાનો અભિયાસ કર્યો હતો તેને ભારત અને દક્ષિણ આફ્રિકા માં માનવઅધિકાર માટેની લડાઈ લડી ભારતને અહિંસક લડાઈ લડી સ્વતંત્ર તા આપવી અંગ્રેજોનો બહિષ્કાર કર્યો હતો. અને અંતમાં ભરત પાકિસ્તાનનાં ભાગલને કારણે તેની હત્યા એક હિન્દુ બંધુ નથુરામ ગોડસેને કરી.
Rohit
🎯💥👉મહાત્મા ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં રહીને વિશ્વ ધર્મોનું અધ્યયન કર્યું. મહાત્મા ગાંધીજીએ અહી રહીને લખ્યું છે કે “ધાર્મિક ભાવના મને જીવવાનું સાહસ પૂરું પાડે છે.” આમ ગાંધીજીએ હિન્દુ ધર્મના ગ્રંથ વાચી સાદું જીવન જીવવાનું નક્કી કર્યું હતું. આવા સાધારણ વિચાર અને નીતિનિયમન ને કારણે તેને “મહાત્મા” નું બિરુદ મળિયું હતું.

🎯💥👉ગાંધીજીના દાંડી યાત્રા જેમાં મીઠા પરના કાર દૂર કરવાના આંદોલન થી બાપુ ગરીબ માણસોના રદયમાં સ્થાન બનવી લીધું જેમાં ૩૯૦ કિલોમીટરની યાત્ર કરી અંગ્રેજ સરકારની મનમાંનીનો વિરોધ કરી મીઠું પકાવવાનો નિર્ણય લીધો હતો. આ આંદોલનને કાનૂન ભંગ આંદોલન કહેવામા આવે છે. આમાં સરકારે લગભગ ૬૦૦૦૦ લોકો ને જેલ હવાલે કરવામાં આવ્યાહતા. આ આંદોલનમાં ગાંધીજીને “મેન ઓફ ધ યર”નો ખિતાબ આપવામાં આવ્યો હતો.

🎯💥🎯🎯1942 માં જ્યારે ગ્રેટ બ્રિટન બીજા વિશ્વયુદ્ધમાં ઘેરાયેલું હતું ત્યારે ગાંધીજીએ “ભરત છોડો” આંદોલન શરું કરી દીધું હતું જેમાં અંગ્રેજોને દેશ છોડી ચલ્યા જવાનું કહીદીધુ હતું. જે સમયે ગાંધીજીની બગડતી તબિયત ને ધ્યાનમાં રાખી તેમની સજા પૂરી કરી જેલમથી છોડી દીધા હતા.

🎯💥🎯1947 ની 15 મી ઓગષ્ટ ના રોજ ભરત માં હિન્દુ અને મુસલમાન વચે કોમી રમખાણ ફાટી નીકળી અને તેમણે દંગા પીડિતક્ષેત્ર નું જાત અવલોકન કર્યું અને બધાને શાંતિ પૂર્વક રહેવાની અપીલ કરી આ બાબતે હિંસા રોકવા ઉપવાસ કર્યા. કેટલાક હિન્દુ એ તેમને મુસ્લિમ પ્રત્યે સહનભૂતિ બાબતે દેશ દ્રોહી પણ ઠેરવ્યા.

રાઠોડ રોહિત

👍આશા રાખું છું આવનાર પરીક્ષા મા આપને આં માહિતી ઉપયોગી નીવડશે

Study Choices

Comments

Popular posts from this blog

Gujarat Police Jilla Falavani pdf, Gujarat Police Constable District Allocated, Police Constable bharati,LRD DISTRICT ALLOCATED 2022/23, LRD ORDER,police constable merit list, Gujarat police jilla,ગુજરાત પોલીસ દળ વર્ગ-૩ સંવર્ગની જગ્યાઓ સીધી ભરતી માટે જિલ્લા ફાળવની

Gujarat Police Physical test Call Letter 2021 Download

SRPF GROUP ALLOCATE 2021/22 BHARATI, SRPF GROUP FALAVANI 2023, POLICE CONSTABLE BHARATI GROUP FALAVANI 2023, SRPF GROUP, VALIYA, RAKKOT, METRO, UDHYOG, GONDAL, VAV, ગુજરાત પોલીસ દળ વર્ગ-૩ સંવર્ગની જગ્યાઓ સીધી ભરતી માટે જિલ્લા ફાળવની